બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

મહાશિવરાત્રી શુભ પૂજા મુહૂર્ત મહિમા | Mahashivratri 2026 Vrat Date Time India | Mahashivratri 2026 | Shivratri 2026 | Okhaharan

મહાશિવરાત્રી શુભ પૂજા મુહૂર્ત મહિમા | Mahashivratri 2026 Vrat Date Time India | Mahashivratri 2026 | Shivratri 2026 | Okhaharan 


mahashivratri-2026-vrat-date-time-india
mahashivratri-2026-vrat-date-time-india

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 2026 મહાશિવરાત્રી ક્યારે છે? મહા શિવરાત્રિના રાત્રિના સમયે તે શિવલિંગની પૂજાનું શું મહત્વ છે? આ શિવરાત્રીમાં નિષિદ્ધકાલના પૂજાનું મુહૂરત તથા ચાર પ્રહરની પૂજાના મુહૂરત સમય કયાં છે? તે વિશે જાણીશું. મહાશિવરાત્રી જે દિવસ મહાદેવનું પ્રાગટ્ય થયું લિંગના રૂપમાં મહાતેજોમય અગ્નિસ્વરૂપ સ્તંભના રૂપમાં જેનો આદિ કે અંત ન હતો તેવા શિવલિંગની ઉત્પત્તિ આજે થઈ હતી 


ૐ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રુકમ બબંધનાન મૃત્યોર મોક્ષયમામૃતાત બોલો શ્રી ઉમાપતિ ભગવાન મહાદેવની જય મિત્રો આમ તો દર માસ શિવરાત્રી હોય છે પણ મહા માસ ની શિવરાત્રી હોવથી અનેક ગણું મહત્વ વઘી જાય છે. જે મહા વદ ચૌદસની તિથિએ ભગવાન મહાદેવનો શિવરાત્રીના રૂપમાં રાત્રિના સમયે ઉત્સવ મનાવાય છે એટલા માટે આ ઉત્સવને શિવરાત્રી કહેવાય છે જેમાં ભગવાન મહાદેવજી શિવજી શિવરાત્રિના આ દિવસે પ્રગટ થયા હતા લિંગ ના રૂપમાં અને અમુકમાન્યતા એવી પણ છે કે શિવ પાર્વતી નો વિવાહ પણ થયો હતો તો જો કે અલગ અલગ માન્યતાથી ઘેરાયેલો આ ઉત્સવમાં ખાસ કરીને શિવજીની પૂજાનું ખાસ મહત્વ દર્શાવાય છે અને રાત્રિના સમયે વર્ષની ચાર એ અઘોર રાત્રી કે મહારાત્રી કહેવાય છે જેમાં દિવાળીની રાત્રી શિવરાત્રી હોળીની રાત્રી અને જન્માષ્ટમી આ રાત્રી એવી છે કે જો રાત્રિના સમયે આપણે પૂજા ઉપાસના કરીએ મંત્ર જાપ કરીએ ઈષ્ટદેવની આરાધના કરીએ તો ફલીભૂત અવશ્ય જ થાય છે મનોકામ ના પૂર્ણ થાય છે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે અને એમાંય ખાસ કરીને જ્યારે મહાદેવનો ઉત્સવ હોય જે દેવોના દેવ મહાદેવ છે આ પવિત્ર રાત્રીએ જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ દિવસે ઉપવાસ રાખે છે મહાદેવની પૂજા ઉપાસના કરે છે તેની સર્વે ઈચ્છા પૂર્ણ થાય છે.
સૌપ્રથમ જાણી લઈએ કે મહાશિવરાત્રી ક્યારે આરંભ થાય છે તેથી આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના ના વદની ચૌદસની તિથિ પ્રારંભ થાય છે. 

શરૂઆત 14 ફેબ્રુઆરી 2026  શનિવાર બપોરે 4:01 મિનિટ
સમાપ્તી 15 ફેબ્રુઆરી 2026 રવિવાર સાંજે 5:04 મિનિટ

પ્રથમ પ્રહરની પૂજા: 15 ફેબ્રુઆરી 2026 સાંજે 6:11 થી 9:23 સુધી
મહાશિવરાત્રી 2જી પ્રહર પૂજા: 15 ફેબ્રુઆરી 2026 રાત્રે 9:23 થી 12:35 સુધી
મહાશિવરાત્રીના ત્રીજા પ્રહરની પૂજાઃ 15 ફેબ્રુઆરી 2026  રાત્રે 12:35 થી 3:47 સુધી
મહાશિવરાત્રી 4થી પ્રહર પૂજા: 16 ફેબ્રુઆરી 2026  સવારે 3:457થી 6:59 સુધી
ઉપવાસનું પરણ: 16 ફેબ્રુઆરી 2026 સવારે 7:02 કલાકે

આ દિવસે રાત્રે એટલે કે 15 ફેબ્રુઆરી 2026  રાત્રે 0:09 થી 1:00 સુધી સમય ને નિષેધ કાળ કહેવાય છે આ સમય બસ મહાદેવ ને શક્ય એક લોટો જળ ચડાવો અને ૐ નમઃ શિવાય ની બંને એટલી માળા જરૂર કરો જેમાં પૂજા ઉપાસના કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે.


શાસ્ત્ર અનુસાર ભગવાન શિવજી સૌપ્રથમ મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા વિશાળ અગ્નિસ્તંભના રૂપમાં અને મહાશિવરાત્રીની રાત્રિએ કુંડલીની જાગૃત અને ધ્યાન માટેનો શ્રેષ્ઠ સમય છે જે સાધકોને પરમ જ્ઞાન તરફ દોરી જાય છે હિન્દુ ધર્મમાં પ્રત્યેક તિથિ અને વારનું ખાસ મહત્વ છે એમાંય ખાસ કરીને આ મહામાસની શિવરાત્રી તો ઉત્તમમાં ઉત્તમ છે મહામાસની શિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો આધિ વ્યાધિ ઉપાધિમાંથી રોગ ઋણ કર્જમાંથી પણ મુક્તિ માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે આજે ભગવાન મહાદેવના શિવ પરિવારની પૂજા ઉપાસના થાય છે જેમાં શ્રી ગણેશ સહિત કાર્તિકેય સ્વામી શિવજીના ગણો છે શિવજીના વાહન છે અને શિવજીએ જે આયુધો ધારણ કર્યા છે શિવજીએ જે પોતાના શરીર ઉપર સર્પ છે ચંદ્રમા છે તેની પણ પૂજા ઉપાસના થઈ જાય છે આપો આપ જ કહેવાય છે કે આજે મહાદેવ દેવી પાર્વતીજીની પૂજા ઉપાસના કરવાથી સર્વે ગ્રહ બાધા દૂર થાય છે શાંત થાય છે એમાંય ખાસ કરીને જ્યારે મહાદેવના 12 જ્યોતિસ્વરૂપ જ્યોતિર્લિંગ છે જે બિરાજિત જ્યાં જ્યાં પણ છે ત્યાં ત્યાં પણ ભક્તો દર્શન કરવા ઉમટશે અને આજે એવું પણ કહેવાય છે કે આપણા ગામ શહેરમાં જે જે નાના નાના શિવાલય છે મંદિરો છે ત્યાં પણ સાક્ષાત મહાદેવ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન રહેશે એટલા માટે જો આપણે જ્યોતિર્લિંગના દર્શન ન કરી શકીએ તો આપણે શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા ઉપાસના કરી શકીએ છીએ.
આજે એવું પણ કહેવાય છે કે જો આપણે ઘરમાં પણ નાનકડું શિવલિંગ રાખ્યું હોય પૂજામાં તો તેની પણ પૂજા કરી શકાય છે ઘર બેઠા તેમાં પણ સાક્ષાત મહાદેવ બિરાજમાન રહેશે પોતાના પરિવાર સાથે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરશે ઘરમાં સુખાકારી રહેશે આનંદ મંગલ રહેશે ભગવાન મહાદેવ એવા દેવ છે કે જેઓ એ આ જગતને વિષમાંથી મુક્ત કર્યું કર્યું હતું એટલા માટે જ આજે મહાદેવની જે પૂજા ઉપાસના કરે છે તેના રોગ કષ્ટ તો મટે છે સાથે જ જો વિષયો કુંડળીમાં હોય અંગારક યોગ હોય કે કોઈપણ કાલસર્પ દોષ હોય અથવા તો કોઈપણ ગ્રહ બાધા નળતર હોય માનસિક તણાવ હોય તો પણ આજે મહાદેવની પૂજા ઉપાસના કરવાથી નામસ્મરણ કરવા માત્રથી જ મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ જાય છે.


આ મહાશિવરાત્રીનો ઉત્સવ છે દિવસ છે રાત્રિ છે આખો દિવસ અને રાત્રી શિવમય થઈ જાશે તે છે આ મહાશિવરાત્રિનો ભવ્ય ઉત્સવ આજે મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો ભાવ વિભોર થાશે સાક્ષાત જાણે કે મહાદેવ દેવી પાર્વતીજી સહિત જે જગતના માતા પિતા છે તે ધરતી લોક ઉપર બિરાજમાન ભક્તોની સામે જ રહેશે એવો અહેસાસ થાશે શિવલિંગના જ્યારે પણ આપણે દર્શન કરીશું મહાદેવના શિવલિંગની પૂજા ઉપાસના આજે કંઈક વિશેષ જ થશે જે કોઈ આપણા અંદર ભાવ હોય પ્રભુ પ્રત્યે પ્રેમ હોય તેનાથી પણ મનથી પણ પૂજા થઈ જાય છે આજે શિવરાત્રી હોય મહાદેવને પ્રિય એવી આ રાત્રિની તિથિમાં ખાસ કરીને મહાદેવની વિશેષ પૂજા થાય છે મહાદેવની પૂજા દરમિયાન ધ્યાન આસન પાધ્ય અર્ધ્ય આચમન સ્નાન દૂધ દહીં ઘી મધ સાકર પંચામૃત ગંધોદક ગંગાજલ વસ્ત્ર યજ્ોપવિત ઉપવસ્ત્ર ચંદન ભસ્મ અક્ષત ઈત્ર પુષ્પ પુષ્પમાલા દુર્વા સમીપત્ર અર્ક ધતુરો બિલ્વપત્ર ધૂપ દીપ નૈવેદ્ય તાંબુલ અને અંતે દક્ષિણા સહિત પૂજન થાય છે આ ઉપરાંત મહાદેવની સાદી સરળ પૂજા પણ થાય છે જેમાં એક લોટો જલ માત્ર અને એક બિલ્વપત્ર ભગવાન પ્રસન્ન થઈ જાય છે શિવલિંગ ઉપર જલાભિષેક કરવા માત્રથી જ ભગવાન તો ભોળાનાથ છે ભોળાનાથ માત્ર ભક્તિથી રીજે છે હૃદયના ભાવથી રીજી જાય છે.
મહાદેવ શક્તિપતિ છે જો આપણે જીવનમાં શક્તિ અર્જિત કરવી હોય ચાહે ધનની તનની મનની તો પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે કારણ કે મહાદેવ છે શક્તિપતિ આ ઉપરાંત મહાદેવ છે તંત્ર મંત્રના દેવતા ગુરુ માટે પણ સાધનામાં સિદ્ધિ પ્રાપ્તિ માટે પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે તંત્ર મંત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે અને મહાદેવ જ્ઞાનના દેવતા છે વિદ્યાના દેવતા છે માટે પણ મહાદેવની પૂજા કરવાથી સર્વે દેવતાઓની પૂજા આવી જાય છે કુંડળી માં રહેલા સર્વે દોષ તો દૂર થાય છે ઘરમાં સુખાકારી રહે છે. 

આજે મહાદેવના દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી જ સર્વે મનોકામના પૂર્ણ થાય છે પાપ નષ્ટ થાય છે.  તે દ્વાદશ જ્યોતિર્લિંગનું પણ આપણે સ્મરણ કરી લઈએ.


દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્
સૌરાષ્ટ્રે સોમનાધંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ ।
ઉજ્જયિન્યાં મહાકાલં ઓંકારેત્વમામલેશ્વરમ્ ॥
પર્લ્યાં વૈદ્યનાધંચ ઢાકિન્યાં ભીમ શંકરમ્ ।
સેતુબંધેતુ રામેશં નાગેશં દારુકાવને ॥
વારણાશ્યાંતુ વિશ્વેશં ત્રયંબકં ગૌતમીતટે ।
હિમાલયેતુ કેદારં ઘૃષ્ણેશંતુ વિશાલકે ॥
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ ।
સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ॥

જે સવાર બોપર સાંજે સ્મરણ કરવા માત્રથી સાત જન્મોના પાપ નષ્ટ થાય છે એવો મહિમા છે આ ઉપરાંત આજે મહાદેવના શિવાલયમાં આપણે જઈએ ત્યારે નંદીશ્વર અને કચ્છપ ભગવાનની પહેલા પૂજા થાય છે ત્યારબાદ શિવજીના દર્શન થાય છે નંદીશ્વર છે શક્તિનું પ્રતીક અને કચ્છપ ભગવાન છે ઇન્દ્રિયોનું પ્રતીક જે આપણી અંદર શક્તિ અને ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો કે જે આપણને શાંતિ લેવા દેતી નથી કંઈકને કંઈક ઈચ્છા આકાંક્ષા રહે છે ત્યારે આપણે જ્યારે ઈશ્વર જે પરમપિતા પરમાત્મા મહાદેવ છે તેમના દર્શન કરવા જઈએ ત્યારે સૌપ્રથમ આપણી શક્તિના અભિમાનને બહાર મૂકવું પડે ત્યારબાદ જેમ જેમ કાચબો પોતાના અંગોને સંકોરી લે છે એ જ રીતે આપણી ઇન્દ્રિયોની આપણી ઈચ્છાઓની આકાંક્ષાઓને સંકોરી લેવાની છે અને એકદમ સ્વસ્થ મને ભગવાન મહાદેવના દર્શન કરવાના છે જેથી પ્રભુ પ્રસન્ન થાય છે અને આપો આપ જ મનોકામના પૂર્ણ થઈ જાય છે ભુક્તિ અને
અંતમાં મુક્તિ પ્રદાન થાય છે કારણ કે મુક્તિના દાતા મહાદેવ છે અંત સમયે આપણે આપણે સૌ જીવોએ સૌએ આ પ્રકૃતિમાં જેટલા પણ જન્મ લે છે તે બધાએ મહાદેવના શરણમાં જવાનું છે રાખ બનવાનું છે અને મહાદેવ તેનો સ્વીકાર કરી લે છે તેવા દેવોના દેવ મહાદેવને પ્રિય એવી આ રાત્રિ છે મહાશિવરાત્રી.


ૐમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર 
સમય હોય તો કોમેન્ટમાં લખી દેજો

Mahashivratri-Vrat-Katha-Gujarati




શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

સોમવાર, 12 જાન્યુઆરી, 2026

મકરસંક્રાંતિ ના દિવસે દાન આપવાનો સમય , દાન માહાત્મ્ય અને 12 રાશિ મુજબ શું દાન કરવું | makar sankranti 12 rashi dan Uttrayan 2026 | Okhaharan

મકરસંક્રાંતિ ના દિવસે દાન આપવાનો સમય , દાન માહાત્મ્ય અને 12 રાશિ મુજબ શું દાન કરવું  | makar sankranti 12 rashi dan Uttrayan 2026 | Okhaharan

makar-sankranti-12-rashi-dan-uttrayan-2026
makar-sankranti-12-rashi-dan-uttrayan-2026

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 2026 મકરસંક્રાંતિ ના દિવસે દાન આપવાનો સમય , દાન માહાત્મ્ય અને 12 રાશિ મુજબ શું દાન કરવું તે બઘી માહિતી જાણીશું 


આ વષૅ 2026 માં સૂયૅ ઉત્તર દિશા તરફ જાય અને મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકરસંક્રાતિ કહેવાય જે આ વષૅ 14 જાન્યુઆરી 2026 બપોરે 3:15 મિનિટે જાય છે આ સમય પછિ દાનનો પુણ્યકાળ સમય શરૂ થાય. મહાપુણ્યકાળ નો સમય સાંજે 4:39 થી 5:15 સુધી નો છે.  15 જાન્યુઆરી 2026 સવારે સ્નાન નો મહિમાં રહેશે. મહાપુણ્યકાળ અને  પુણ્યકાળ સમયમાં તપ,જપ તથા દાન અને ગુપ્તદાન માટે ઉત્તમ છે. 

દાન આપવાથી મનુષ્યને સમૃદ્રિની પ્રાપ્તિ સાથે મનુષ્યના કુડંળી માં રહેલા કમૅ સ્થાન પ્રબળ થાય છે. અને કમૅ સ્થાન સુઘરી જાય એટલે પછી રહ્યું શું ભાગ્ય સુઘરતા વાર નથી લાગતી.

દાન એ મનુષ્યના દૈહિક, માનસિક અને આત્મિક તાપ તો મટે સાથે બધા પ્રકારના દોષ પણ મટી જાય છે અને જો આ દાન મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવે તો તેનુ માહાત્મ્ય અનેક  વધી જાય છે. મકર સંક્રાંતિના દિવસે ખાસ કરીને તલ, ખિચડી, ગોળ અને ધાબળા વગેરેનુ દાન કરવાનુ મહત્વ છે, આવો જાણીએ કઈ રાશિના લોકોને મકર સંક્રાંતિ દિવસે 12 રાશિ મુજબ શું દાન કરવુ વધુ લાભકારી રહેશે.


મેષ રાશિ- અ, લ, ઈ,

રાશિ સ્વામી- મંગળ

શુભ રંગ - લાલ

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લાલ વસ્ત્ર , તાંબા નું વાસણ , ગોળ મસૂર દાન કરવું


વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે સફેદ વસ્ત્ર ,સફેદ વસ્તુ , સફેદ તલ , ચાંદી નું દાન દાન કરવું

મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લીલું વસ્ત્ર , મગ , ખીચડી કાંસા નું દાન કરવું


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે સફેદ વસ્ત્ર , દૂધ , દહીં  , તાલ નું દાન કરવું


સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શુભ રંગ : નારંગી  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે પીળું વસ્ત્ર , પીળી ધાતુ , ઘંઉ નું દાન કરવું

કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લીલા ચણા , મગ , લીલું વસ્ત્ર , મિક્સ ધાતુ ના વાસણ નું દાન કરવું

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે સફેદ વસ્ત્ર ,સફેદ વસ્તુ , સફેદ તલ , ચાંદી નું દાન કરવું


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લાલ વસ્ત્ર , ગોળ અથવા ગોળ માંથી બનાવેલ વાનગી , તાંબા નું વાસણ કરવું

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો 
આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે કેસરી વસ્ત્ર નું દાન , સોના અથવા ચાંદી નું દાન , ફળ ફલાદિ નું દાન કરવું

મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  


આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે કાળું વસ્ત્ર , કાળા અડદ , કાળા તલ કે તલ નું તેલ કરવું

કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે કાળા તલ, કાળા ગરમ વસ્ત્ર  , ખીચડી , સરસો નું તેલ કરવું


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે પીળા કે કેસરી વસ્ત્ર , પીળા રંગ ના ફળ ફૂલ , ઘી , સફેદ તેલ સોનુ ચાંદી નું દાન કરવું

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

Tag of Page
મકરસંક્રાંતિ 2026,
Makar Sankranti 2026, 
Makar Sankranti date 2026, 
uttrayan 2026 mahima, 
makar sankranti 2026, 
uttrayan 2026 , 
uttrayan 2026 date, 
ઉત્તરાયણ 2026, મકરસંક્રાંતિ 2026,  
Makar Sankranti Rashi daan upay, 
uttrayan Rashi daan upay, 
Makar Sankranti 12 Rashi daan upay, 
uttrayan 12 Rashi daan upay, 
Makar Sankranti Rashi pramane shu dan karvu?, 
uttrayan Rashi pramane shu dan karvu?, 
Okhaharan,

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

સોમવાર, 5 જાન્યુઆરી, 2026

પોષ માસની સંકષ્ટી ચતુર્થી 5 કે 6 જાન્યુઆરી 2026 ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Paush Sankashti Chaturthi 2026 | Okhaharan

પોષ માસની સંકષ્ટી ચતુર્થી 5 કે 6 જાન્યુઆરી 2026 ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Paush Sankashti Chaturthi 2026  | Okhaharan



paush-sankashti-chaturthi-2026-vrat
paush-sankashti-chaturthi-2026-vrat

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું પોષ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  5 કે 6 જાન્યુઆરી 2026 ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? તે બધું આજે આપણે જાણીશું   


દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ જાન્યુઆરી મહિનાની ચતુર્થી મંગળવાર તથા પોષ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે . 


દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  

આ વષૅ પોષ માસ ની સંકષ્ટી ચતુર્થી 2026 

તિથિ પ્રારંભ 6 જાન્યુઆરી 2026 મંગળવાર સવારે 8:01
તિથિ સમાપ્તી 7 જાન્યુઆરી 2026 બુઘવાર સવારે 6:33
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 6 જાન્યુઆરી 2026 મંગળવાર
પુજન નો શુભ સમય સાંજે 7:34 થી 9:14
ચંદ્ર દશૅન સમય રાત્રે 9:06 મિનિટ છે.



ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના લંબોદર સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

Tag of Post
Paush Sankashti Chaturthi 2026,
Paush vad Ganesh chaturthi, Paush 2026, 
Paush vad chaturthi, 
Paush Mas sankashti chaturthi 2026,
Paush Mas sakat chauth 2026 , 
Paush mas sankashti chaturthi kayre che,
ganesh chaturthi kab hai 2026 , 
sankashti chaturthi 2026 , 
sankashti , 
sakat chauth 2026 ,

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 


અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શનિવાર, 25 ઑક્ટોબર, 2025

લાભ પાંચમ શુભ મૂહુર્ત 2025 | labh Pacham | labh pancham 2025 date | Labha Pachami Muhurat 2025 Gujarati | Okhaharan

લાભ પાંચમ શુભ મૂહુર્ત 2025 | labh Pacham | labh pancham 2025 date | Labha Pachami Muhurat 2025 Gujarati | Okhaharan

labh-pacham-labh-pancham-2025-date
labh-pacham-labh-pancham-2025-date


લાભ પાંચમ-કારતક સુદ-5 ને  ની તિથિ માહિતી જાણીયે 
લાભ પાંચમ તિથિ ની શરૂઆત તારીખ 26/10/2025 સવારે 3:47 થાય છે 
તિથિ ની સમાપ્તિ તારીખ 27/10/2025 સવારે 6:04 થાય છે 
આમ હિન્દુ શાસ્ત્રો સૂયૅ દય તિથિ મુજબ 


રવિવાર તારીખ 26/10/2025  રોજ લાભ પાંચમ ની તિથિ રહેશે. 
લાભ પાંચમ એ લાભ આપનારી તિથિ માનવમાં આવે છે. 
સવારે ચઢતા પ્રહરના કાર્યો વધુ લાભ આપનારા હોય છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુદેવ અને ઇષ્ટદેવ સૌને શુભફળ, શુભ સ્થિર લક્ષ્મી, આરોગ્ય ઐશ્વર્ય તેમજ પરસ્પર સદ્ઘાવ રાખે એવી પ્રાર્થના સાથે ૐ સાથિયો અને પરંપરા ગત પુજન કરવાનુ રહેશે 


હવે આપણે જાણીએ તેનો પુજન ના શુભ ચોધડિયા
રવિવાર તારીખ 26/10/2025 શુભ દિવસે જે પરંપરાને અનુસરી દુકાન, પેઢી, કારખાનું ચાલું કરવાનું શુભ મુહૂર્ત 
સવારે 8:10 થી 12:20 શુભ ચોઘડિયું છે.
બપોરે 1:50 થી 3:10 શુભ ચોઘડિયું છે.



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇