રવિવાર, 27 ફેબ્રુઆરી, 2022

મહાશિવરાત્રી શિવલિંગ પુજન માં કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો અને ખાસ કંઈ વસ્તુ નો ઉપયોગ ના કરવો | Mahashivratri Pujan Samagri Gujarati | Okhaharan

મહાશિવરાત્રી શિવલિંગ પુજન માં કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો અને ખાસ કંઈ વસ્તુ નો ઉપયોગ ના કરવો  | Mahashivratri Pujan Samagri Gujarati | Okhaharan

 
Mahashivratri-Pujan-Samagri-Gujarati
Mahashivratri-Pujan-Samagri-Gujarati


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહાશિવરાત્રી શિવલિંગ પુજન માં કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો અને ખાસ કંઈ વસ્તુ નો ઉપયોગ ના કરવો તે આજે આ લેખમાં જાણીશું.

 મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 


મહાશિવરાત્રી ના દિવસ એટલે મહાદેવ ની ભક્તિ કરવાનો વષૅ સોથી ઉત્તમ દિવસ છે. 
 

 સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને ધરમાં અથવા મહાદેવ મંદિરે દશૅન કરવા જવું. મહાશિવરાત્રી એટલે મહા મહિનાની શિવ ની રાત્રી ખાસ કરીને રાત્રિ ના સમયે એટલે કે ચાર પ્રહર પુજન કરવાનો અનોખો મહિમા છે. આ પ્રહર પુજન સમય આ રીતે છે.


રાત્રિના પ્રથમ પ્રહર પૂજાનો સમય - 26 ફેબ્રુઆરી 2025 સાંજે 6:29 થી 9:34 સુધી


• રાત્રિના બીજા પ્રહર પૂજાનો સમય - 26 ફેબ્રુઆરી 2025 રાત્રે 9:34 થી 12:39 સુધી


• રાત્રિ તૃતીયા પ્રહર પૂજા સમય - મધરાત 26 ફેબ્રુઆરી 2025 રાત્રે 12:39 થી 3:45 સુધી


• રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા સમય - 27 ફેબ્રુઆરી 2025 સવારે 3:45 થી 6:50 સુધી


• નિશિતા કાલ મુહૂર્ત - રાત્રે 12:07 થી મધરાત 12:55 સુધી


• વ્રત પારણાનો સમય - સવારે 06:37 થી બપોરે 03:28 (27 ફેબ્રુઆરી 2025)


સવૅ પ્રથમ મહાદેવ ના મંદિર બેલ વગાડી ને શ્રી ગણેશ શ્રી હનુમાન નંદી દેવ કશ્યપ દેવ અને માતા પાવૅતી ધ્યાન ધરી મહાદેવ છબી , મૂર્તિ કે સ્વરૂપ શિવલિંગ સ્વરૂપે પુજન કરવુ.


પુજન ની અંદર ભગવાન શિવને  દૂધ દહીં ધી સાંકળ અને મધ મિક્ષ કરીને અથવા આ પાંચ વસ્તુઓ અલગ અલગ શિવલિંગ પર અભિષેક કરવો . ત્યાર બાદ શુદ્ધ જળ થી દર વખત અથવા પંચામૃત ના અભિષેક પછી સ્નાન કરાવી સ્વચ્છ કરવા.  અત્યારે શરળતાથી બજાર માં શેરડી નો રસ મળે છે તો અભિષેક જરૂર કરો. ત્યાર બાદ ભસ્મ , ભાંગ અને ચંદન વડે તિલક લગાવો. દરેક વસ્તુ ના અભિષેક સમયે શિવ રુદ્ર ગાયત્રી મંત્ર અથવા દ્રાદશ જ્યોતિર્લિંગ મંત્ર બોલવો. ત્યાર પછી ત્રિમુખ બિલિના પત્ર ૧૧ કે ૨૧ અથવા બની શકે તો ૧૦૮ ચડાવો અને સાથે સાથે બિલ્વાઅષ્ટક નો પાઠ કરો અથવા શિવ ૧૦૮ નામ અથવા કંઈ ના કરો તો ૐ નમઃ શિવાય બોલીને આપણૅ કરો .


મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


પછી શુગધિત પુષ્પ જેમ કે ગુલાબ , હજારી , કમળ અથવા બીજા ધણાં પુષ્પ શિવલિંગ પર ચડાવવા ખાસ કરીને શિવજી ને ધતુરો અતિપ્રિય છે એટલે ધતુરો ચડાવાવાનુ ભુલતા નહીં. ત્યાર પછી પુષ્પ માળા ચડાવો પછી મંત્ર સ્તુતિ ધ્યાન ધરો . પછી પ્રસાદ ધરાવો જેમાં મીઠાઈ , ફળો , ફરારી ભોજન ,સૂકો મેવો જો બની શકે તો ખીર બનાવો પણ ચોખા વગર આમ આટલી વસ્તુ કરીને ભગવાન ને નૈવેદ્ય ધરાવો. 


મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર


પછી પાંચ દિવાની ભગવાની આરતી કરો. પછી ભગવાની આરતી આપો અને ભગવાન તથા માતાજી ને વસ્ત્ર આપણૅ કરો. માતાજી ને સોહાગણ બધી વસ્તુ સાથે આપણૅ કરો સાથે સાથે શકન ના ૧,૫, કે ૧૧ રૂપિયા જરૂર મુકજો.


આ જે આપણે ભગવાનને પુજા કરી તેનું ફળ અને શ્રી ફળ માતાજી ને આપણૅ કરો અને કહો તેનું સારૂ ફળ આપે. ૐ ઈદમ્ ફલમ્ મયા દેવે તેને મેન સફલા વાદે
વે જન્મ જન્મની પુંજી ફળ શિવા આપણૅ નમસ્તુ.


ત્યાર બાદ શિવલિંગ પાસે દાન દક્ષિણા મુકો અને આ પુજા કોઈ બ્રહ્માણ સાથે કરાવતા હોય એમને પણ દાન દક્ષિણા જરૂર આપો પછી મહાદેવ મંદિર 5 ,11, કે 21 વખત પ્રદક્ષિણા કરો.

Mahashivratri-Vrat-Katha-Gujarati

 


આપણે જાણીયુ પુજનમા કંઈ વસ્તુ નો ઉપયોગ કરવો કેવી રીતે કરવો પણ કેટલીક એવી વસ્તુઓ છે જે કદાપી શિવ પુજન માં ના કરવી ચાલો આપણે જાણીએ.

મહાશિવરાત્રી શિવજીના 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો. 


ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવે શંખચૂડ રાક્ષસનો વધ કર્યો હતો. માટે શિવલિંગ પર અભિષેક સમયે શંખ નો ઉપયોગ ના કરવો.


શિવજી ના પુજન સમયે કેતકી નું પુષ્પ ઉપયોગ કરવામાં આવતો નથી કારણકે શિવપુરાણ ના ખંડ મુજબ  બ્રહ્મા અને વિષ્ણુ વિવાદ માં કેવડો કે કેતકી ખોટી સાશી પુરાય હોવથી મહાદેવ શ્રાપ આપે કે મારી પુજન માં તારો ઉપયોગ કદી નહી થાય


શિવ પુજન સમયે સિંદૂર તમામ દેવી-દેવતાઓને પ્રિય છે. ભગવાન શિવને સિંદૂર ચઢાવવામાં આવતું નથી કારણ કે હિન્દુ મહિલાઓ તેને તેમના પતિના લાંબા આયુષ્ય માટે લગાવે છે. ભગવાન શિવને ત્રણ આગણી વડે સિંદૂર ચઢાવવાને બદલે ચંદનનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે.


શિવ પુજન સમયે ચંપા નું ફુલ ચડાવમાં આવતુ નથી.

મહાશિવરાત્રી ના દિવસે શિવજી ની સ્તુતિ કરવાથી ભોળાનાથ ભરી દેશે ધનના ભંડાર અહી ક્લિક કરો.  

મિત્રો આ હતી શિવ પુજનની સંપૂણૅ માહિતી અને કંઈ વસ્તુનો ઉપયોગ ના કરવો એ જાણ્યું આપડે હું આશા રાખું આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો ૐ નમઃ શિવાય કોમેન્ટ માં જરૂર લખજો.

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 



બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે? શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ? | mahashivratri 2025 Gujarati | Okhaharan

મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા ? | mahashivratri 2025 Gujarati | Okhaharan

 
mahashivratri-2025-Gujarati
mahashivratri-2025-Gujarati
 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહાશિવરાત્રી ક્યારે છે ? મહાશિવરાત્રી નું માહાત્મ્ય શું છે?  શું છે ચાર પ્રહર પુજન નો સમય અને આ સમય ક્યાં મંત્રો નો જાપ કરવા તે આજે લેખમાં જાણીશું.

મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 


આમ આખા વષૅ બે માસની શિવરાત્રી અને અધિક મહિનાની બે એટલે કુલ ૨૬ શિવરાત્રી આવે છે એમાં પણ મહા માસ ની શિવરાત્રી એટલે કે મહાશિવરાત્રી એ મહાદેવ ની ભક્તિ કરવાનો વષૅ સોથી ઉત્તમ દિવસ છે આમ તો શ્રાવણ માસ આંખો શિવ ભક્તિ નો છે પણ આ એક દિવસ નો મહિમા વધારે છે.આ દિવસ આખી રાખ જાગરણ કરીને મહાદેવ ની જપ ,તપ ,પુજન કરવાની હોય છે. હવે આપણે જાણીએ મહાશિવરાત્રી નું માહત્મ્ય શું છે ? તે જાણીયે.

મહાશિવરાત્રી શિવજીના 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો. 


શિવપુરાણ અનુસાર જયારે બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ થયો હતો કે બંનેમાં શ્રેષ્ઠ કોણ છે? એકબાજુ બ્રહ્માજી પોતાને  બ્રહ્માંડના સર્જક તરીકે સર્વશ્રેષ્ઠ ગણાતા હોવાનો દાવો કરી રહ્યા અને બીજીબાજુ ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિના પાલનહાર કરતા હોવાથી  પોતાને શ્રેષ્ઠ ગણાવતા હતા. ત્યારે અચાનક બંને વચ્ચે એક વિરાટ લિંગ દેખાયું. અને લિંગ માંથી વાણી થઈ તમારા બંને માંથી જે પણ આ લિંગનો અંત સૌથી પ્રથમ શોધશે તે શ્રેષ્ઠ માનવામાં આવશે. પછી ની કથા આપ જાણો છે કે બ્રહ્માજી જુઠું બોલતા ભૈરવ એ એમનું પાંચમું મુખ કાપી નાખ્યું અને શિવજી એ ભગવાન વિષ્ણુ ને શ્રેષ્ઠ ગણાવ્યાં. જે દિવસે આ અનંત લિંગ પ્રગટ થયું એ દિવસ તિથિ મહા વદ ચૌદશ હતી.

 

 મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર

 


શિવપુરાણ ની કથા અનુસાર આ દિવસે શિવ અને સતી બીજો જન્મ પાવૅતી ના લગ્ન આ દિવસ ની તિથિ થયાં હતાં એને મહાશિવરાત્રી કહેવાય છે


કેટલાક લોકો આ તિથિ ને મહાદેવ ના જન્મદિવસ તરીકે પણ ઉજવે છે. આ દિવસે ભાગ નો પરસાદ પીવાનો અને શંકરીયા બટાકા ખવાનો માન્યતા છે.


મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


મિત્રો આ હતું શિવરાત્રી માહાત્મ્ય આપણે જાણીએ ક્યારે મહાશિવરાત્રી ની તિથિ શરૂ થાય છે અને શું છે ચાર પ્રહર પુજન નો સમય..

શરૂઆત 25 ફેબ્રુઆરી 2025  મંગળવાર બપોરે 12:46 મિનિટ
સમાપ્તી 26 ફેબ્રુઆરી 2025 બુઘવાર સવારે 11:07 મિનિટ

પ્રથમ પ્રહરની પૂજા: 26 ફેબ્રુઆરી 2025 સાંજે 6:29 થી 9:34 સુધી
મહાશિવરાત્રી 2જી પ્રહર પૂજા: 26 ફેબ્રુઆરી 2025 રાત્રે 9:34 થી 12:39 સુધી
મહાશિવરાત્રીના ત્રીજા પ્રહરની પૂજાઃ 26 ફેબ્રુઆરી 2025 રાત્રે 12:39 થી 3:45 સુધી
મહાશિવરાત્રી 4થી પ્રહર પૂજા: 27 ફેબ્રુઆરી 2025 સવારે 3:45 થી 6:50 સુધી

ઉપવાસનું પરણ: 27 ફેબ્રુઆરી 2025 સવારે 7:02 કલાકે


આ દિવસે રાત્રે એટલે કે
26 ફેબ્રુઆરી 2024 રાત્રે 0:09 થી 1:00 સુધી સમય ને નિષેધ કાળ કહેવાય છે આ સમય બસ મહાદેવ ને શક્ય એક લોટો જળ ચડાવો અને ૐ નમઃ શિવાય ની બંને એટલી માળા જરૂર કરો 

મહાશિવરાત્રી ના દિવસે શિવજી ની સ્તુતિ કરવાથી ભોળાનાથ ભરી દેશે ધનના ભંડાર અહી ક્લિક કરો. 


આ પુજન ચાર પ્રહર મુજબ શાસ્ત્રો માં અલગ મંત્રો જણાવ્યા છે તે આ મુજબ છે


પ્રથમ પ્રહરમાં - 'હ્રીં ઈશાનાય નમઃ'

બીજા પ્રહરમાં- 'હ્રીં અઘોરાય નમઃ'

ત્રીજા પ્રહરમાં - 'હ્રીં વામદેવાય નમઃ'

ચોથા પ્રહરમાં- 'હ્રીં સદ્યોજાતાય નમઃ'.


મિત્રો આ હતું મહાશિવરાત્રી નુ માહાત્મ્ય તેના પુજન નો પ્રહર સમય અને ક્યાં મંત્ર જાપ કરવાના એ જાણ્યું આપડે હું આશા રાખું આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો ૐ નમઃ શિવાય કોમેન્ટ માં જરૂર લખજો.

Mahashivratri-Vrat-Katha-Gujarati

 

 



બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇